Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા જ્ઞાતિના કાનાણી પરિવારના કુળદેવી
ભાટીયા તા. ૧૭ઃ લોહાણા જ્ઞાતિના કાનાણી પરિવારના કુળદેવી શ્રી સિંધવી બાલવી માં ના ખંભાળીયા સ્થિત મંદિર સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શારદીય નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.
તા. ૧પ-૧૦-ર૩ ના નવરાત્રિ પ્રારંભ ના દિને ઘટ સ્થાપન માં નું પૂજન, આરતી, ધ્વજા રોહણ કરી નવરાત્રિના નવે નવ દિવસ નવરાત્રિ જાગરણ માતાજીના ગુણગાન દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી ખંભાળીયાના પ્રસિદ્ધ ગાયત્રી ગરબા મંડળ દ્વારા યોજાઈ છે. જેનો તમામ કાનાણી પરિવારોએ લાભ લેવા શ્રી સિંધવી માતાજીના પરમ સેવક સ્વ. કનુભાઈ ડી. કાનાણીના પુત્ર નિખીલભાઈ કાનાણી દ્વારા અનુરોધ કરાયો છે. તા. રર-૧૦-ર૩ ના રોજ માતાજીનો હવન યોજાશે જેમાં સવારે ૮ વાગ્યે હવન પ્રારંભ, બપોરે ૧ર-૩૦ વાગ્યે બિડુ હોમાશે અને બપોરે ૧ વાગ્યે માતાજીની આરતી, પુષ્પાંજલી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial