Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ સિંધવી સિકોતેર માતાજીના મંદિરના સાંનિધ્યમાં ગરબા-છંદ સાથે નવરાત્રિ

ગરબા-છંદ સમયે માતાજીની ચાખડી અને સિંહ જાતે નીચે પડી જાય છે !

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયામાં લોહાણા જુની મહાજનવાડી પાસે મપારા થોભાણી લોહાણાના કુળદેવી  સિંધવી સિકોતેર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં નવરાત્રિ સમયે રોજ રાત્રે ગરબા છંદ ગાવામાં આવે છે તથા ઢોલ, તબલા અને વાજીંત્રો સાથે આ ગરબા ગાવામાં આવે છે ત્યારે ભકતો ગરબામાં લીન થઈ જાય છે ત્યારે મંદિરમાં રાખેલી માતાજીની ચાખડી તથા સિંહ જાતે જ નીચે પડી જાય છે !!

ઢોલ તબલાનો પ્રચંડ અવાજ કરવાથી તે પડી જતાં હશે તેમ જાણીને કેટલાયે લોકો દ્વારા ખૂબ જ મોટા અવાજો કરવા છતાં ચાખડી કે સિંહ પડતા તો શું હલતા પણ નથી તેજ ચાખડી અને સિંહ ગરબા ગાતા પડી જાય છે. આ અનેક લોકોએ નજરે જોયું છે.

ગાયત્રી ગરબા મંડળના પ્રવિણભાઈ છગ, કિરીટભાઈ મજીઠીયા, યોગેશભાઈ આચાર્ય, હિતેશભાઈ બોડા, દિલીપભાઈ કછટીયા, ગીરીશભાઈ સવજાણી, કિરીટભાઈ માણેક, હસમુખ ડોડીયા, જગદીશ ચાવડા, શ્રવણ જોશી વિગેરે દ્વારા ગરબાની રમઝટ ચાલે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh