Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે ચોરી થયાની રાવઃ
જામનગર તા. ૧૭ઃ ખંભાળિયાના વાડીનારમાં રહેતા એક પરપ્રાંતિય યુવકના મકાન ઉપરાંત અન્ય મકાનોમાં શનિવારે ચોરી થઈ છે. કુલ સાત મોબાઈલ ચોરી જઈ તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામમાં મકાન ભાડે રાખીને રહેતા મૂળ પંજાબના વતની કુલદીપસિંગ ગુરૃમીતસિંગ નામના શીખ યુવાન શનિવારે નયારા કંપનીમાં નોકરી પર ગયા હતા.
તેમના રહેણાંકમાં શનિવારની સવારથી સાંજ સુધીના સમયમાં કોઈ તસ્કર દરવાજાનું તાળું તોડી ઘૂસી ગયા હતા. તેમના મકાનમાંથી તેમજ અન્ય વ્યક્તિઓના મકાનમાંથી રૃા.૨૬ હજારની કિંમતના સાત મોબાઈલ તસ્કર ચોરી કરી ગયા છે. વાડીનાર પોલીસ મથકમાં કુલદીપસિંગે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial