Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-સોમનાથ નેશનલ હાઈ-વેની બન્ને તરફ ઝાડ-વૃક્ષોથી અકસ્માતનો ભય

ભાટીયા તા. ૧૭ઃ નેશનલ હાઈવે ના પ૧, દ્વારકા-સોમનાથ માર્ગમાં કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામ પાસે રસ્તાની બન્ને તરફ રસ્તાને અડીને ઝાડવા-વૃક્ષો ઉગી ગયા છે. આ માર્ગ ઉપરથી ભારે વાહનોની સૌથી વધુ અવર-જવર રહે છે. માર્ગની બન્ને બાજુ ઝાડવા-વૃક્ષો હોવાથી નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને સતત અકસ્માતનો ભય રહે છે. આ પ્રશ્ને ભાટીયા સીટના જિ.પં. સભ્ય અરવિંદભાઈ આંબલીયાએ અનેક વખત રજુઆતો કરી છે. પણ તંત્ર દ્વારા એવો જવાબ મળે છે કે જમીનનો વિવાદ હોવાથી ઝાડવા દૂર કરી શકાય તેમ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh