Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા લેવાયો ઘીનો નમૂનોઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી ગઈકાલે એસઓજીએ બનાવટી લાગતા ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પકડી પાડ્યો છે. તે દુકાનમાંથી અંદાજે રૃા.૧૨ હજારની કિંમતનું ૩૫ કિલો ઘી કબજે કરાયું છે. ધસી આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટૂકડીએ ઘીનો નમૂનો મેળવી તેને લેબોેરેટરીમાં મોકલ્યો છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરીમાં ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં બનાવટી ઘીનું વેચાણ કરાતું હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સંદીપ ચુડાસમા, ચંદ્રસિંહ જાડેજા, દિનેશ સાગઠીયા, અનિરૃદ્ધસિંહ ઝાલાને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળની એસઓજી ટીમે ગઈકાલે તે દુકાનમાં દરોડો પાડ્યો હતો.
તે દુકાનમાં તલાશી લેવાતા ત્યાંથી શંકાસ્પદ લાગતું ભેળસેળવાળુ ૩૫ કિલો ઘી મળી આવ્યું હતું. અંદાજે રૃા.૧૨૨૫૦ની કિંમતનું ઘી કબજે કરી એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા દોડી આવેલા આ વિભાગના કર્મચારીઓએ તે ઘીનો નમૂનો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાવી આપ્યો છે. આ દુકાનના સંચાલક હસમુખ રમણીકભાઈ વસોયા હોવાનું ખૂલ્યું છે.
હાલમાં ચાલી રહેલા નવરાત્રિના તહેવારો અને આગામી દિવાળીના તહેવારો પહેલા જામનગરમાંથી બનાવટી ઘી મળી આવતા ચિંતાની લાગણી પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial