Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય રિવાબા જાડેજાની ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા અપીલ

જામનગરના સહિયર નવરાત્રિ મહોત્સવમાં

જામનગર તા. ૧૭ઃ જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા પર્યાવરણને જાળવવા માટેની ઝુંબેશના ભાગરૃપે પેટ્રોલ-ડિઝલ જેવા ઈંધણથી ચાલતા વાહનોને છોડીને વધુ પડતા ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરવા માટે નગરજનોને ખાસ અપીલ કરી છે.

જામનગરના સહિયર નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની આરતી સાથેની આરાધના કરવા માટે જોડાયેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ નવરાત્રિ મહોત્સવના આયોજક સંસ્થા દ્વારા પર્યાવરણને બચાવવા માટે ચલાવવામાં આવતી ઝુંબેશને સહર્ષ સ્વીકારીને શુભકામનાઓ પાઠવી હતી.

પેટ્રોલ-ડિઝલના ઈંધણનો ઉપયોગ કરવાથી મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણને બચાવવાના ભાગરૃપે આવા વાહનોને છોડીને વધુ પડતા ઈલેકટ્રીક બાઈક વગેરેનો ઉપયોગ કરે તેવો પ્રજાજોગ સંદેશો ધારાસભ્ય રિવાબા જાડેજાએ આપ્યો હતો.

આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સહિયર નવરાત્રિ મહોત્સવના સંયોજક સંજય જાની આ નવરાત્રિના પ્રથમ ક્રમાંકિત વિજેતાઓને ઈલેકટ્રીક બાઈકનું ઈનામ આપનારા પ્રતીક એન્ટરપ્રાઈવાળા પ્રતીક ઝાલા અને તેઓની ટીમને શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત સહિયર નવરાત્રિ મહોત્સવના આયોજક ટીમને પણ પર્યાવરણને બચાવવા માટેની ઝુંબેશને બિરદાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh