Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂજન, મહાઆરતી, શોભાયાત્રા સંપન્ન
જોડિયા તા. ૧૭ઃ જોડિયામાં ૭ વર્ષથી શ્રી માં નવદુર્ગા સમિતિ દ્વારા પ્રથમ નોરતે શ્રી માં નવદુર્ગાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના તમામ ગરબા મંડળની ૩૦૦ થી વધારે બાળાઓ તથા સંચાલકો જોડીયાના જલારામ સોસાયટીથી શરૃ કરી વાજતે-ગાજતે જોડિયા ગામના મુખ્યમાર્ગો પર થઈ શોભાયાત્રા સાંજના સમયે અંબાજી ગરબા મંડળ, અંબાજીના ચોકમાં પૂરી કરવામાં આવે છે, જ્યાં માં નવદુર્ગાની મહાઆરતી કરવામાં આવે છે, ત્યારબાદ દરેક મંડળની બાળાઓને લ્હાણી આપી જમાડીને અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવે છે.
આ વર્ષે પણ તા. ૧પ-૧૦-ર૩ ને રવિવારના માં નવદુર્ગા શોભાયાત્રા નીકળી હતી, અને આ તમામ ધર્મકાર્યો સંપન્ન થયા હતાં. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કનુભાઈ રાચ્છ, જીજ્ઞેશભાઈ વ્યાસ, ચીરાગભાઈ વાંક તથા તેની ટીમે જહેમત ઉઠાવી હતી. ૩૦૦ થી વધુ બાળકોને લ્હાણી સંજયભાઈ દેશળભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવી હતી, તેમજ સમૂહભોજનની વ્યવસ્થા અશોકભાઈ ડી. વર્મા તથા ભગુભાઈ સી.વાંક પરિવાર તરફથી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial