Advertisement
Author: નોબત સમાચાર

ખીજડીયા પક્ષી અભયારણ લોકો માટે ખુલ્લુ મૂકાયુંઃ રપ૦ જેટલા પક્ષીઓનું આગમન

રામસર સાઈટ તરીકે જાહેર થયેલ વિશ્વ વિખ્યાત

જામનગર તા. ૧૭ઃ જામનગર નજીક વિશ્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ ગઈકાલથી ખોલવામાં આવ્યું છે. જેમાં આશરે રપ૦ જેટલા પક્ષીઓનું આગમન થઈ ચુકયું છે. જામનગર નજીકના અને રામસર સાઈટ તરીકે જાહેર થયેલ ખીજડીયા પક્ષી અભયારણમાં ગઈકાલે પ્રથમ દિવસે અનેક પક્ષી પ્રેમીઓએ અભયારણની મુલાકાત કરી હતી. પક્ષીના નેસ્ટીંગ બ્રીડીંગ માટે ચાર માસથી લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું. આખરે ચોમાસાની સિઝન પૂર્ણ થતાં જ દ્વાર ખોલવામાં આવ્યા છે.  આ અભયારણમાં દર વર્ષે હજારો પક્ષીઓ દેશ-વિદેશથી આવતા રહે છે. અત્યાર સુધીમાં રપ૦ જેટલા પક્ષીઓ આવી ચુકયા છે. હજુ શિયાળો શરૃ થતાં વિદેશથી પક્ષીઓ આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh