Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં વિવિધ માતાજી મંદિરોમાં નવરાત્રિ પર્વ નિમિત્તે વિશિષ્ટ દર્શન

મહાઆરતી, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઃ

જામનગર તા. ૧૭ઃ ખંભાળીયા શહેરમાં નવરાત્રિના આગમન સાથે શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં રોજ વિશિષ્ટ દર્શન સાથે રોજ દુહા, છંદ, આરતી તથા પ્રસાદ અને ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. જેમાં પ્રથમ નવરાત્રિથી જ ભાવિકો ઉમટ્યા હતા.

ખંભાળીયામાં ખામનાથ પાસે પ્રાચીન આશાપુરા માતાજીના મંદિરે રાજપૂત સમાજ તથા અન્ય સમાજના ભકતો નવરાત્રિમાં દર્શન, પૂજા તથા આરતીમાં ઉમટે છે તથા વિશિષ્ટ શણગાર યોજાય છે. ખંભાળીયા તાલુકાના  કેશોદ ગામે આવબાઈ માતાજીના મંદિરે તથા માધુપુર પીપળીયા ગામે કામઈ માતાજીના મંદિરે પણ ભાવિકો પ્રથમ નોરતાથી ઉમટ્યા હતાં.

ખંભાળીયા શહેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજના કુળદેવી વારાહી માતાજીના મંદિરે રોજ વિશિષ્ટ દર્શન સાથે નગારા ઢોલ સાથે આરતી થાય છે. તો રાત્રે બ્રાહ્મણો દુહાછંદ સાથે ગરબી રમે છે. અહીંની પુષ્કર્ણા બ્રહ્મ સમાજની બ્રહ્મપુરીમાં ગાયત્રી માતાજીના મંદિરે પણ પૂજારી પુરોહિતજી દ્વારા રોજ વિશિષ્ટ દર્શન યોજાય છે તો સારસ્વત બ્રહ્મ સમાજના કુળદેવી સરસ્વતી માતાજીના મંદિરે તથા સામુદ્રી માતાજી મંદિર તથા બહુચર માતાજીના મંદિરે અને ગાયત્રી ગરબા મંડળ સંચાલિત સીંધવી સીકોતેર માતાજીના મંદિરે તથા સતવારા જ્ઞાતિ વાડી પાસે ચામુંડા માતાજીના મંદિરે પણ ભાવિકો પ્રથમ નવરાત્રિથી જ ઉમટી પડ્યા હતા તથા વિશિષ્ટ દર્શન સાથે પૂજા આરતીનો લાભ લીધો હતો તો દત્તાણી કુટુંબના કુળદેવી રૃડીલાખી માતાજીના મંદિરે પણ ભાવિકો ઉમટ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh