Advertisement
Author: નોબત સમાચાર

સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓ વિશ્વ વિખ્યાત સ્પિંટેક્સ કંપનીની મુલાકાતેઃ રસપ્રદ માહિતી અપાઈ

બેગલેસ ડે અંતર્ગત વિભાપરની

જામનગર તા. ર૪ઃ જામનગરના વિભાપરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયના કક્ષા ૮, ૯ ના વિદ્યાર્થીઓએ જામનગર નજીક ફલ્લા રોડ પર આવેલ દોરા તેમજ સ્પિનની વિશ્વ પ્રખ્યાત સ્પિંટેક્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી જ્યાં મશીનો વિશે જાણધકારી મેળવી મેનેજિંગ ડિરેક્ટર સુરેશભાઈ કાછડિયા તેમજ લીનાબહેન કાછડિયા સાથે રહ્યા હતાં.

વિદ્યાર્થીઓને કંપનીના અધિકારીઓ અને કર્મચારીએ કંપની અને કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. નવી શિક્ષણ નીતિમાં બેગલેસ ડે નું મહત્ત્વ છે. આ દિવસે વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી કંપની દ્વારા અપાઈ હતી. વિદ્યાર્થીઓએ પણ કર્મચારીને કંપની વિશે પ્રશ્નો પૂછ્યા હતાં. મુલાકાત પછી કંપની દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ તકે વિદ્યાલયના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલયના નિયામક જયશ્રી દીદી, માધ્યમિક પ્રધાનાચાર્ય વિપુલાબહેન વિરાણી તેમજ પ્રચાર પ્રમુખ હેમાંશુ ગુરુજી તથા પૂર્વ છાત્ર અને ઉદ્યોગપતિ નિખીલભાઈ પાંભર ઉપસ્થિત હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh