Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પટેલ નગરના યુવાને
જામનગર શહેર ગઈકાલે રામમય બન્યું હતું, અને શહેરમાં અનેક રામ ભકતો દ્વારા અનેક સ્થળે રંગોળી બનાવાઈ હતી, જ્યારે પ્રજવલિત કરાયા હતા સાથોસાથ ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી તેમજ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, તો કયાંક રામશોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં યોજાયા હતાં. દરમિયાન જામનગરના પટેલનગર નજીક રહેતા અમિતભાઈ પ્રજાપતિ નામના યુવાન દ્વારા ભગવાન શ્રીરામચંદ્રજીની બાળ સ્વરૃપની મૂર્તિની રંગોળી બનાવવામાં આવી હતી. અયોધ્યામાં નવા પુનઃસ્થાપિત થયેલા ભગવાન શ્રીરામ મંદિરમાં ભગાવન રામચંદ્રજીની બાળ સ્વરૃપની નવી પ્રતિમાનો ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, તે જ પ્રકારની ર૮ બાય ૩૬ ઈંચની રંગોળી પાંચ જાતના કલરના માધ્યમથી આબેહૂબ ભગવાન શ્રી રામચંદ્રજીની નવી પ્રતિમાની પ્રતિકૃતિ સમાન રંગોળી બનાવી હતી, અનેક રામભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial