Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈરાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ
જામનગર તા. ૨૪ઃ જામનગરના કનસુમરા પાટિયા પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતાં જ્યુપીટર સ્કૂટરને એક મોટરે ટક્કર મારી દેતાં ઘવાયેલા સ્કૂટરચાલકનું મૃત્યુ નિપજ્યું છે. મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા કનસુમરા ગામના પાટિયા નજીક પરમપાર્ક પાસેથી ગઈરાત્રે સાડા આઠેક વાગ્યે જીજે-૧૦-ડીએચ ૯૫૨૫ નંબરનું જ્યુપીટર સ્કૂટર લઈને મનોજભાઈ દલસાણીયા પસાર થતાં હતા. આ વેળાએ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૦-બીજી ૭૮૭૭ નંબરની ફોર્ડ ફીગો મોટરના ચાલકે તેઓને ઠોકર મારી પછાડ્યા હતા. આ અકસ્માતમાં માથા તથા ચહેરાના ભાગે ગંભીર ઈજા પામેલા મનોજભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. માધવબાગમાં રહેતા મૃતકના પુત્ર માનવભાઈએ મોટરના ચાલક સામે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial