Advertisement
Author: નોબત સમાચાર

મણિપૂરમાં આસામ રાઈફલ્સના કૂકી સમુદાયના જવાને આડેધડ ગોળીબાર કરતા ૬ સાથી જવાનો ઘવાયા

હુમલાખોર મણિપૂરનો નહોતોઃ ગોળીબાર પછી આપઘાત

ઈરફાલતા તા. ર૪ઃ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને સાથીદાર જવાનો પર આડેધડ ગોળીબાર કરતા ૬ જવાનો ઘવાયા છે. આ જવાન કૂકી સમુદાયનો હતો પરંતુ મણિપૂરનો નહોતો અને તેને મેતૈઈ સમુદાય સાથે કોઈ લેવા દેવા નહીં હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ મણિપૂરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે.  જેમાં ૬ જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના આસામ રાઈફલ્સ બટાલિયનના કેમ્પસમાં બની હતી., જ્યાં મણિપૂરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાની સાથે સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું.

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૃ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh