Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અક્ષત કળશ પૂજનમાં તિબેટિયનો સહિત સ્થાનિકો જોડાયા
જામનગર તા. ૨૪ઃ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યમાં આગામી તા.રર-૧-ર૪ ના ભગવાન રામની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે ત્યારે આ મહોત્સવના ભાગરૃપે સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઘેર ઘેર અક્ષત કળશ પૂજન કરવામાં આવી રહ્યું છે, જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીની સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલના ઘરે અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લ્હાશા તિબેતટીયન માર્કેટના તિબેટીયન ભાઈ-બહેનો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, મહિલા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં, આ તકે કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા અયોધ્યા કાર સેવકો દિનેશભાઈ વ્યાસ, ભૂપેન્દ્રભાઈ જાની, હિતેનભાઈ ભટ્ટ, મિલનભાઈ મોદી વિગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વ્રજલાલભાઈ પાઠક, ભરતભાઈ મોદી, ભરતભાઈ ફલિયા, પ્રતિકભાઈ ભટ્ટ અને કમલભાઈ દવે વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial