Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાલાલની અકળાવનારી આગાહીઃ
અમદાવાદ તા. ર૪ઃ હવામાન નિષ્ણાત અંબાલાલે અકળાવનારી આગાહી કરી છે કે તા. ર૭ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો ર૭ થી ૩૦ જાન્યુઆરીમાં માવઠાની આગાહી છે.
મધ્ય ગુજરાતમાં તાપમાન ઊંચકશે, ગરમીનો અહેસાસ થશે તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ દેશનું વાતાવરણ પલટાશે. વાયુના તોફાનો ભારે હિમવર્ષા અને ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે, જેમાં ચાર શહેરોમાં તાપમાનનો પારો ૧૧ ડીગ્રી છે તથા સૌથી ઓછું તાપમાન મહુવામાં ૧૦ ડિગ્રી રહ્યું છે તેમજ ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં ૧૧ ડીગ્રી તાપમાન રહ્યું છે તેમજ અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં ૧ર ડીગ્રી તાપમાન છે. કેશોદમાં ૧ર ડીગ્રી, ભાવનગરમાં ૧૩ ડીગ્રી તથા અમદાવાદમાં ૧૪ ડીગ્રી તાપમાન નોંધાયું છે. સુરત અને પોરબંદરમાં ૧૪ ડીગ્રી તાપમાન છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે, જેમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ સતત નીચું જ રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં તેમ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial