Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪ઃ જામજોધપુર તાલુકાના મુળજી ચિરોડા ગામમાં આવેલા મગનભાઈ આંબાભાઈ દોંગા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદના કાકરખીલા ગામના વતની અગનભાઈ બદીયાભાઈ ભુરીયા નામના શ્રમિકના પત્ની લલીબેન (ઉ.વ.૩૫) નામના મહિલાએ ગઈ તા.ર૧ની સવારે ઝેરી દવા પી લીધી હતી.
આ મહિલાને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેઓએ કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધાનું પતિ અગનભાઈએ પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial