Advertisement
Author: નોબત સમાચાર

આસામના મુખ્યમંત્રી હિમંતામાં હિંમત હોય તો હજુ બીજા રપ કેસ દાખલ કરે,-બીતો નથીઃ રાહુલ ગાંધી

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલી એફઆઈઆર મુદ્દે પ્રતિક્રિયાઃ

દીબ્રુગઢ તા. ર૪ઃ આસામમાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ રહી છે, ત્યારે કોંગીનેતા રાહુલ ગાંધી સામે ત્યાંની સરકારની સૂચનાથી થયેલી એફઆઈઆરને લઈને આકરી પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'હું બીતો નથી'.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામના બારાપેટામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે, હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રીનું નિયંત્રણ સંપૂર્ણ રીતે અમિત શાહના હાથમાં છે, જો હિંમતા બિસ્વા સરમા અમિત શાહ વિરૃદ્ધ કંઈપણ બોલવાની હિંમત કરશે તો તેમને પાર્ટીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મને ખબર નથી કે તેમના (હિમંતા બિસ્વા સરમા) મગજમાં ક્યાંથી આવ્યું કે તેઓ રાહુલ ગાંધીને ડરાવી શકે છે. 'તમે જેટલા ઈચ્છો તેટલા કેસ દાખલ કરો, હું ડરતો નથી... રપ કેસ દાખલ છે, હજુ વધુ રપ કેસ દાખલ કરી દો.' તેનાથી મને કોઈ ફરક પડવાનો નથી. હું ભારતીય જનતા પાર્ટીથી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી ડરતો નથી.

રાહુલ ગાંધીએ ૧૪ જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૃ કરી હતી જે ૧૮ જાન્યુઆરીએ આસામ પહોંચી હતી. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. સરમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા દેખાવ, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુક્સાન અને પોલીસકર્મીઓ પર હુમલાને ધ્યાનમાં રાખીને, રાહુલ ગાંધી, કેસી વેલુગોપાલ, કન્હૈયા કુમાર અને અન્ય નેતાઓ વિરૃદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh