Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૪ઃ વર્ષના ૩૬૦ દિવસ અને તે પણ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં કામ કરતા જામનગરના ન્યુઝ પેપરના વિતરકો દર વર્ષે માત્ર એક જ વખત ર૬ જાન્યુઆરીએ પ્રવાસે જાય છે સદાય હૈયે વિતરકોના હિતને લઈને ચાલતી જામનગરના ન્યુઝ પેપર વિતરકોની સંસ્થા જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ દ્વારા આ વર્ષે સતત ૧૯ માં વર્ષે જામનગરથી માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, જય અંબેધામ, મોગલધામ (કબરાઉ), માંડવી-વિજય વિલાસ પેલેસ, બીચ સ્વામિનારાયણમંદિર સહિતના ધાર્મિક તથા ફરવા-હરવાના વિખ્યાત સ્થળોએ પ્રવાસે જશે.
વ્હેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા માટે કે.પી. જાડેજા (મો. ૯૩ર૮૧ ૦૪૧૮ર), દિનેશભાઈ જે. ચોખલીયા (મો.૯૪ર૭૮ ર૭૬૪૮), દિલાવરભાઈ બ્લોચ (મો. ૬૩પપ૪ રપર૧પ), એલ.પી. જાડેજા (મો. ૯૮ર૪ર ૪૮૩૭૩), સુરેશ આર. રૃપારેલ (મો. ૯૭ર૩૬ ૯૦૧૮પ), ઉપર તા. રપ સુધીમાં સંપર્ક કરવો. પ્રવાસ માટે જવા તા. ર૬-૧-ર૪ ના સાંજે ૭ વાગ્યે ઝુલેલાલ મંદિર, ત્રણબત્તીથી બસ ઉપડશે અને તા. ર૭ ના રાત્રે પરત ફરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસોસિએશનના વિશેષ સિદ્ધિ મેળવનાર સભ્ય કે તેના પરિવારના સભ્યએ કોઈ વિશેષ સિદ્ધિ મેળવેલ હશે તો અવા સભ્યોનું બહુમાન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial