Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અયોધ્યામાં મર્યાદા પુરૃષોતમ ભગવાન શ્રી રામનાં નૂતન મંદીર અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને શ્રી મોટી હવેલી જામનગરમાં પણ ગાદીપતિ પૂ.પા.ગો. ૧૦૮ હરિરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ તેમજ પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી મહોદય તેમજ પ્રેમાદ્રરાયજીના માર્ગદર્શન હેઠળ ધર્માેત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ અલૌકિક પ્રસંગે બપોરે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે શ્રી મદન માહેન પ્રભુને દિપદાનનાં મનોરથમાં ૧૧૦૦ થી વધુ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતાં. મોટી હવેલીને રોશનીથી શણગારવામાં આવી હતી અને દિવાળી માન વાતાવરણ સર્જાતા વૈષ્ણવોનાં હ્યદયમાં પણ ભક્તિ-આનંદનો ઝગમગાટ વ્યાપી ગયો હતો. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial