Advertisement
Author: નોબત સમાચાર

વહેવારીયા સ્કૂલમાં છાત્રોનો સન્માન સમારોહ યોજાયો : વાલીઓ જોડાયા

દાતાવીર શાહના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગર વહેવારીયા રાષ્ટ્રીય પ્રાથમિક/માધ્યમિક શાળાના પટાંગણમાં એલ.જી. થી ધો. ૧ર સુધીના બાળકો માટે દાતાવીર વીર શાહના સૌજન્યથી તમામ બાળકોનો ગુલોલર ભરે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં વોર્ડ નં. ૧ર ના કોર્પોરેટરો અલ્તાફભાઈ ખફી, જેનબબેન ખફી, અસ્લમભાઈ ખીલજી, હાજી રીઝવાનભાઈ જુણેજા, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, સંસ્થાના પ્રમુખ વહાબભાઈ વહેવારીયા, ટ્રસ્ટી મહેમુદભાઈ વહેવારીયા, ટ્રસ્ટી ગફારભાઈ નાખુદા, બિલ્ડીંગના ટ્રસ્ટી યાકુબભાઈ નાખુદા, વહેવારીયા મેમણ જમાતના અગ્રણીઓ, મકસુદભાઈ એ. વહેવારીયા, અગ્રણી કાર્યકર સહારાબેન મકવાણા, આચાર્ય શબનમબેન જામ, રાજેશ્રીબેન મેવયા, સમગ્ર સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓ, વિશાળ વાલી સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

તમામ મહેમાનો દ્વારા બધા બાળકોને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય રાજેશ્રીબેન ડી. મેવયાએ કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh