Advertisement
Author: નોબત સમાચાર

કૃષિ યાંત્રિકરણ માટે ખેડૂતોને ચૂકવાશે રૂ. ૧૨.૧૮ કરોડની સહાય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

  ખંભાળીયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કૃષિના યાંત્રિકરણ માટે સરકારના કૃષિ વિભાગ દ્વારા અપાતી વિવિધ સહાયમાં તાજેતરમાં ૧૨.૧૮ કરોડની જંગી રકમ બે હજાર જેટલા ખેડૂતોને ચૂકવાઈ છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણીયાના માર્ગદર્શનમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા સહાય અંગે આવેલી અરજીઓ પરથી ૬૮૨ ખેડૂતોને ૬.૮૨ કરોડની આર્થિક સહાય ટ્રેકટરની ખરીદીમાં સહાય આપવામાં ચૂકવાઈ છે. જ્યારે ખેડૂતોને ફાર્મ મીકેનાઈઝેશન કરવા માટે વિવિધ સાધનો, રોટાવેટર, થ્રેસર, કલ્ટીવેટર તથા ઓરણી વિગેરે માટે ૧૩૧૩ ખેડૂતોને ૫.૩૬ કરોડની સહાય ચૂકવાઈ હતી.

આમ, હાલ ૧૨.૧૮ કરોડની સહાય કૃષિના યાંત્રિકરણના કામ માટે ચૂકવવામાં આવી છે. તથા હજૂ પણ સહાય ચાલુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh