Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યની એક માત્ર સરકારી પેરામેડિકલ કોલેજમાં ઓર્થોટિક્સ/ પ્રોસ્થેટિક્સ વિભાગમાં પ્રવેશ પ્રક્રિયામાં ગોબાચારી થયાની રાવ!

છેલ્લા બે-ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ-વાલીઓ ગાંધીનગર સુધી રજૂઆતો કરતા હોવા છતાં નિવેડો કેમ આવતો નથી?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ગુજરાતમાં એકમાત્ર સરકારી પેરામેડિકલ કોલેજમાં જ ઓર્થોટિક્સ/પ્રોસ્થેટિકસ વિભાગ કાર્યરત છે તેમાં ધો. ૧ર ઉત્તીર્ણ છાત્રોને પ્રવેશ માટે કુલ ર૦ બેઠકો છે, પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી આ સરકારી કોલેજમાં ઓનલાઈન અરજી કર્યા પછી પણ એડમીશન આપવામાં આવતું નથી. કુલ ર૦ જનરલ તેમજ અનામત બેઠકો માટે આવેલ પ્રવેશ અરજીઓમાંથી મેરીટ પ્રમાણે ૧૦ છાત્રોને જ પ્રવેશ આપી બાકીની બેઠકો ખાલી રાખી દેવામાં આવે છે. શા માટે તમામ પૂરી બેઠકો ભરવામાં આવતી નથી? શા માટે અનામત કેટેગરીમાં યોગ્ય પાત્રતા ધરાવતા છાત્રોને પ્રવેશ આપવામાં આવતો નથી? જેવા અનેક પ્રશ્નો આ સરકારી પેરામેડિકલ કોલેજની પ્રવેશ પ્રક્રિયા અંગે ઊઠવા પામ્યા છે.

આ બાબતે છેલ્લા બે-ત્રણ વર્ષથી સંબંધિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ થયું નથી.

આ પ્રશ્ને તાકીદે સરકારના સંબંધિત વિભાગના મંત્રી/સેક્રેટરી દ્વારા સરકારી કોલેજમાં જે તે વિષયમાં પાત્રતા ધરાવતા છાત્રોને પ્રવેશ મળે અને તમામ ર૦ બેઠકો પર પ્રવેશ આપવામાં આવે તેવી માગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh