Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવતઃ
જામનગર તા. ૩: જામનગરની એક સોસાયટી દ્વારા મોરબીના લોજ સંચાલક સામે કરવામાં આવેલી ચેક પરતની ફરિયાદમાં અદાલતે એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ અપીલમાં પણ યથાવત રાખવામાં આવ્યો છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ અને મોરબીમાં લોજ ચલાવતા જયેશ ભૂપતભાઈ ઠાકરે સોસાયટીમાંથી લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક રિટર્ન થતાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલવા પર આવતા જામનગરની અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.૬,૪૫,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અપીલમાં પણ અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી આરોપીની અપીલ નામંજૂર કરી છે. ફરિયાદી સોસાયટી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial