Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેર પોલીસે તપાસ હાથ ધરીઃ
જામનગર તા. ૩: દ્વારકામાં ઈસ્કોન ગેઈટ રોડ પર સોમવારે સાંજે એક યુવાન નશાની હાલતમાં કોઈ રીતે ઠોકર લાગતા પડી ગયા પછી ઈજા પામવાના કારણે સારવારમાં ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈએ પોલીસે જાણ કરી છે.
દ્વારકા શહેરમાં ઈસ્કોન ગેઈટ પાસેથી મંદિર તરફ જવાના માર્ગ પર સોમવારે સાંજે પસાર થતાં મનિષભાઈ બચુભાઈ પરમાર (ઉ.વ.૩૦) નામના મૂળ ભાવનગરના વતની યુવાન નશાની હાલતમાં કે અન્ય કોઈ રીતે ઠોકર લાગતા પડી ગયા હતા.
રોડ પર પછડાવવાથી નાક સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા મનિષભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સોમવારની રાત્રે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ સન્નીભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. દ્વારકા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial