Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના મોખાણામાં રાણીવાવ વિસ્તારમાં વિસ્ફોટક સાથેનો ખોરાક ખાઈ જતા ગાયનું કરૂણ મૃત્યુ નિ૫જયુ

ખેતરની સુરક્ષા માટે જીવલેણ કિમીયા થોડા કરાય ?... અરેરાટી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના મોખાણા પાસે રાણીવાવ વિસ્તારમાં એક ખેડૂત દ્વારા પાકને બચાવવા માટે ભૂંડ જેવા પ્રાણી ખેતરની નજીક આવે તો તેને ખોરાકમાં બોમ્બ જેવો વિસ્ફોટક પદાર્થ મૂકે તે જેવો આ પદાર્થ પશુ ખાય કે વિસ્ફોટ થાય અને ઢોર પશુને નુકસાન થાય બીજા આવે નહીં....

ગઈકાલે મોખાણા ગામે રાણીવાવ વિસ્તારમાં એક ગાય આવી રીતે ખેતરમાં જઈ પડતા તેણે વિસ્ફોટક રાખેલા આ ખોરાકને ભૂખ લાગી હોય ખોરાક સમજીને ખાતા ચાવવા જતાની સાથે જ વિસ્ફોટ થતાં ગાયનું મોં તથા જડબુ ફાટી ગયું હતું તથા લોહી લોહાણ સ્થિતિની આ ગૌમાતાની ભાણવડ એનિમલ લવર્સ ગૃપને થતાં તેમણે તુરંત જ આ ગૌ માતાને એમ્બ્યુલન્સમાં લઈ જઈને સારવાર માટે વ્યવસ્થા ભાણવડમાં કરી હતી. પણ મોંઢામાં ફાટેલા વિસ્ફોટથી ગૌ માતાનું જડબું ફાટી ગયું હોય તેનુ કરૂણ મૃત્યુ નિપજતા ગૌપ્રેમીઓમાં શોક સાથે રોષની લાગણી ફેલાઈ હતી તથા પ્રજાઓ સાથે આવી રીતે માનવતાને શર્મસાર કરતા કિસ્સાએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે તથા પશુ ખેતરમાં નુકસાન ન કરે તે માટે આવા જોખમી કીમિયા ના કરવાની પણ માંગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh