Advertisement
Author: નોબત સમાચાર

મ્યુનિ. કમિશનરે સમર્પણ સર્કલની સ્થળ વિઝિટ કરી

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ આજે સવારે સમર્પણ સર્કલની વિઝિટ કરી હતી. સંભવતઃ અહિં ઓવરબ્રિજ અંગેના આયોજન માટે આજે વિઝિટ કરી હોવાનું જાણવા મળે છે. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી આજે પોતાના અન્ય અધિકારીઓની ટીમ સાથે સમર્પણ સર્કલ પહોંચ્યા હતાં, અને ત્યાંથી પસાર થતા રસ્તા બાબતેની ઝીણવટભરી વિગતોની ચર્ચા કરી હતી. સંભવતઃ આ ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવાનું આયોજન માટે આ મુલાકાત કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જો કે તમામ અધિકારી અન્ય કોઈ મહત્ત્વની કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh