Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરની મેથ્સ કલબ દ્વારા ઉમિયાજી સોશ્યલ ગ્રુપ સંચાલિત આર.એલ. છત્રોલા શિશુમંદિરમાં ગણિત વિષય અંગે સેમિનાર યોજાયો હતો. સ્કૂલના સંચાલક કેશુભાઈ ઘેટીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. અતિથિ વિશેષપદે મેથ્સ કલબના ફાઉન્ડર ટ્રસ્ટી રણછોડભાઈ ચિત્રોડાએ ગણિતની ઝડપી ગણતરીની પ્રયુકિતઓ સાથે ગણિતના જાદુ રજૂ કર્યા હતાં.
મોટીવેશનલ સ્પીકર અને ઉમિયાજી મહિલા કોલેજના ડાયરેકટર ભગવાનજીભાઈ કાનાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. મેથ્સ કવીઝના વિજેતા બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતાં. આ સેમિનારમાં ૧૭૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષાબેન ગઢીયાએ આભારદર્શન કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial