Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૩: 'વિશ્વ એઈડ્સ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં રેલી તેમજ અવેરનેશ સેશનનું આયોજન સરકારી નર્સીંગ કોલેજમાં કરવામાં આવ્યું હતું. જેમાં સીટીએચઓ ડો. પલક ગણાત્રા દ્વારા નર્સીંગ સ્ટુડન્ટ્સને એચઆઈવી વિશે દિશાનિર્દેશ આપ્યો હતો. આઈએમએના જામનગરના પ્રેસિડેન્ટ ડો. કુણાલ મહેતા, પ્રિન્સિપાલ ચૌહાણ, પ્રોફેસર વાઢેર, અને વૈશાલીબહેનએ હાજરી આપી હતી.
સર્વોદય અને શ્રમજીવી ટી.આઈના સ્ટાફ સમગ્ર પ્રોજેક્ટ, એસએસકે પ્રજેક્ટ, સુભીક્ષા પ્રોજેક્ટ, આઈસીટીસીના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. આઈએમએના વિદ્યાર્થીઓએ નાટક-સ્કીટ રજૂ કર્યા હતાં.
નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા એનટીઈપી-જેએમસી સ્ટાફ, નવાગામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટાફ દ્વારા સ્લમ વિસ્તારમાં અવેરનેશ રેલી યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial