Advertisement
Author: નોબત સમાચાર

નાની લાખાણીમાં આવેલી ખેતીની જમીનમાં રસ્તા અંગે કરાયેલી અરજી નામંજૂર રખાઈ

દીવાની કોર્ટ યોગ્ય રીતે ઈન્સાફ કરી શકેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના લાખાણી ગામના એક ખેડૂતે જમીનના રસ્તા અંગે મામલતદાર કોર્ટમાં દાવા અરજી કરી હતી. તેમાં દીવાની કોર્ટ વધુ સારી રીતે ઈન્સાફ કરી શકે તેમ હોય, ગ્રામ્ય મામલતદારે આ અરજી નામંજૂર કરી છે.

જામનગર તાલુકાના લાખાણી ગામના નાનાવાસમાં રહેતા ખેડૂત દેવેન્દ્રસિંહ પ્રભાતસંગ જાડેજાએ રે.સ.નં.૩૬૮માં આવેલી પોતાની ખેતીની જમીનમાં આવવા-જવાના માર્ગમાં રેવન્યુ સર્વે નં.૩૧ના ધારણકર્તા મહેન્દ્રસિંહ હઠુભા જાડેજાએ હરકત કરી હોવાનું જણાવી તે રસ્તો ખૂલો કરી આપવાની માગણી કરતો કેસ મામલતદાર કોર્ટમાં કર્યાે હતો.

તે કેસ ચાલી જતાં મામલતદારે સ્થાનિક સ્થળ તપાસણી કરી હતી અને તે પછી દેવેન્દ્રસિંહને તે જગ્યા વારસામાં પ્રાપ્ત થઈ હોવાનું અને મહેન્દ્રસિંહે તે જગ્યા વેચાણથી લીધી હોવાનું નોંધ્યું હતું. તેના પુરોગામી કૈલાસબાએ અગાઉ નોટરી સમક્ષ રસ્તાની સમજૂતીનું લખાણ કરી આપ્યાનું અને તે લખાણ રદ્દ ન થયાનંુ પણ નોંધી દેવેન્દ્રસિંહ આ રસ્તાનો ઉપયોગ છ વર્ષથી ન કરતા હોવાનું પણ પંચરોજકામ પરથી સ્પષ્ટ થતું હોવાનું નોંધી વાદીને આ રસ્તાનો ઉપયોગ પુનઃ પ્રાપ્ત કરવા દેવો તે અન્યાયી અને ગેરવ્યાજબી ગણાય. જેથી દીવાની કોર્ટ આ દાવાનો ઈન્સાફ વધારે યોગ્ય રીતે કરી શકે તેમ જણાવી મામલતદારે વિવાદીની દાવા અરજી નામંજૂર કરી છે. પ્રતિ વિવાદી તરફે વકીલ જયેશ કારસારીયા, પ્રવીણ માતંગ, જયદેવ કનખરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh