Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧૬,૭૮,૧૭,૭૫૪માં સેટલમેન્ટ સધાયું:
જામનગર તા. ૧૩: જામનગર શહેર તથા જિલ્લામાં શનિવારે યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં રજૂ થયેલા કેસોમાંથી ૬૮૫૪ કેસનો નિકાલ થવા પામ્યો હતો. રૂ।.૧૬,૭૮,૧૭,૭૫૪નું સેટલમેન્ટ થયું હતું.
જામનગર જિલ્લામાં શનિવારે યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં જામનગર શહેર ઉપરાંત જિલ્લાભરની તમામ કોર્ટમાં ૧૫,૯૮૬ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૬,૮૫૪ કેસનો ઉકેલ આવ્યો છે. કુલ રૂ।.૧૬,૭૮,૧૭,૭૫૪માં સમાધાન શક્ય બન્યું હતું.
જૂના કાયદા મુજબના સમાધાન પાત્ર ફોજદારી કેસ, એનસી કેસ, એમવી એક્ટના કેસ, ચેક પરત, વીમા કંપની, વીજ કંપની, બેંક રીકવરીના દાવા, કૌટુંબિક તકરાર, લગ્ન સંબંધી તકરાર સહિતના કેસો રજૂ થયા હતા. પ્રિ-લિટીગેશનના ૧૦,૩૮૬ કેસમાંથી ૨૭૮૦ કેસ, લોકઅદાલતના ૨૩૧૪માંથી ૮૮૧ કેસ, સ્પેશિયલ સીટીંગના ૩૨૮૬ કેસમાંથી ૩૧૯૩ કેસનો નિકાલ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial