Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઢોર ચરાવવા આવેલા મૃતકના વાલીની શોધખોળઃ
જામનગર તા.૧૯ ઃ લાલપુરના મોટા ખડબા ગામમાં ગઈકાલે ઢોર ચરાવી રહેલો એક તરૃણ કોઈ રીતે બેશુદ્ધ બન્યા પછી મૃત્યુ પામ્યો છે. ત્યાં નજીકમાં ખેતર ધરાવતા ખેડૂતે પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતકના વાલીની શોધખોળ શરૃ કરી છે.
લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મૂળુભા કલુભા જાડેજાના ખેતર પાસે ગઈકાલે લાલુભાઈ રાઠોડ નામનો સત્તરેક વર્ષનો તરૃણ ઢોર ચરાવતો હતો.
આ વેળાએ તે તરૃણ કોઈ રીતે બેશુદ્ધ બની ઢળી પડતા તેને સારવાર માટે લાલપુર દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તે તરૃણને મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો.
આ બનાવની મૂળુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે. મૃતદેહને પી.એમ. માટે ખસેડી પોલીસે તેના સગા સંબંધીની શોધ હાથ ધરી છે. આ યુવાનના હાથના પોચામાં અંગ્રેજીમાં એલ શબ્દ ત્રોફાવેલો છે. તેણે કબૂતરી તથા કોફી રંગનું લાઈનીંગવાળું ટી-શર્ટ અને કાળા રંગનું નાઈટ પેન્ટ પહેરેલું હતું. આ યુવકના વાલીઓએ લાલપુરના એએસઆઈ કે.કે. ચાવડાનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial