Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કચરાના કલેકશનમાં પણ ભ્રષ્ટાચાર!!

કચરાની ગાડીઓ પર રખાશે નજર

જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી છે.

કોંગ્રેસના કોર્પોરેટર સમજુબેન પારીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, દરરોજ ૫૦ થી ૬૦ ટન વજનના કચરાની હેરાફેરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ બાબતે આજથી ખાસ કચરાની ગાડીઓ ઉપર નજર રાખીને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે.

વધુમાં રજુઆત કરવામાં આવી છે કે એક ગાડીમાં ડ્રાઈવર ઉપરાંત બે હેલ્પર રાખવા ફરજીયાત છે પરંતુ પૂરતો સ્ટાફ પણ રાખવામાં આવતો નથી તેની પણ તપાસ કરવી જરૃરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh