Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂતરાને મારવાના પ્રશ્ને કરાઈ હતી હત્યાઃ
જામનગર તા.૧૯ ઃ જામનગરના સાતરસ્તા વિસ્તારમાં એક યુવાનની છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરી નાખવામાં આવી હતી. ઘર પાસે કૂતરાને મારવાના મુદ્દે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી છે.
જામનગરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતા અને જેલમાં ટિફિન પહોંચાડવાનું કામ કરતા દીપકભાઈ જોઈસર નામના યુવાનને સાતરસ્તા પાસે દીપેશ કનખરા નામના શખ્સે રોકી લઈ માર માર્યાે હતો. આ વેળાએ દીપેશ કનખરાએ છરીના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ બની ગયેલા દીપક જોઈસરનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ પ્રફુલભાઈ જોઈસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ આવાસ કોલોનીમાં કૂતરાને મારવાની બાબતે ઝઘડો થયા પછી તેનો ખાર રાખી દીપેશ કનખરાએ હુમલો કર્યાે હતો. પોલીસે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપી સામે ચાર્જશીટ કર્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે પચ્ચીસ સાહેદોની જુબાની, મેડિકલ એવીડન્સ તથા ફોરેન્સિકનો રિપોર્ટ રજૂ કરી દલીલો કરી હતી. અદાલતે તેને ગ્રાહ્ય રાખી આરોપી દીપેશ કનખરાને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૃા. ૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial