Advertisement
Author: નોબત સમાચાર

રાજપૂત સમાજ દ્વારા ખંભાળીયા નજીક પ્રાચીન આશાપુરા માતાજીના મંદિરે આવતીકાલે ચઢાવાશે બાવન ગજની ધ્વજા

પી.એસ. જાડેજા અને હકુભા જાડેજા રહેશે ઉપસ્થિત

ખંભાળીયા તા. ૧૯ઃ રાજપૂત સમાજ પ્રમુખ પી.એસ. જાડેજા તથા પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજાની ઉપસ્થિતિમાં ખંભાળીયાના ખામનાથ પાસે પ્રાચીન આશાપુરા માતાજીના મંદિરે આવતીકાલે બાવન ગજની ધ્વજા ચઢાવવાનું આયોજન કરાયું છે.

જામનગરના સ્થાપક જામ રાવલના સમયની સ્થાપના થયેલ આ આશાપુરા મંદિરે રાજપૂત સમાજ દ્વારા વિશાળ સ્તંભ ઉભો કરીને કાયમી બાવન ગજની ધ્વજા ફરકે તેવું આયોજન થયું હતું. જેના દાતા તરીકે પ્રભાતસિંહ રણજીતસિંહ જાડેજા (મુન્નાભાઈ મઢુલીવાળા) દ્વારા ૧,પ૧,૦૦૦ નો ખર્ચ અપાયો હતો.

ધ્વજારોહણ કાર્યક્રમ દ્વારકા તથા જામનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાના હસ્તે રખાયો છે જે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ઉપસ્થિત રહેશે.

તા. ર૦-૭-ર૩ ના સવારે ૧૦ વાગ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં ખંભાળીયા શહેર તાલુકાની જનતા તથા આશાપુરા મા ના તમામ ભકતોને પધારવા રાજપૂત સમાજ ખંભાળીયાના પ્રમુખ ચંદ્રસિંહ એફ.જાડેજા તથા આગેવાનોએ અપીલ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh