Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરૃષોત્તમ માસ નિમિત્તે ભકતોની વધુ ભીડઃ
ખંભાળીયા તા. ૧૯ઃ વૈષ્ણવ સંપ્રદાય સાથે હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રીનાથજી (નાથદ્વારા)માં અનેક ભકતો દર્શન માટે જઈ રહ્યા છે. આથી ખંભાળીયાથી નાથદ્વારા માટે બસની સુવિધા આપવા માંગણી છે. ખંભાળીયાથી નાથદ્વારા જવા માટે એક પણ બસની સુવિધા ઉપલબ્ધ નથી.
હાલ પુરૃષોત્તમ માસ ચાલતો હોવાથી અને પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓની સંખ્યા વધુ રહેશે. આથી સ્વત્વરે ખંભાળીયાથી નાથદ્વારા માટે એસ.ટી.ની બસ ફાળવવી જોઈએ. આ અંગે સુરજભાઈ દવે, મયંકભાઈ શર્મા, નિરૃબેન બદીયાણી, સુભાષ પોપટ, દોલતરાય દતાણી, પતાપરાય દયાળજી સહિતના વૈષ્ણવો એસ.ટી. ડેપો મેનેજર સમક્ષ લેખિત રજુઆત કરી છે અને આ રજુઆત પત્રની નકલ રાજ્યના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વગેરેને પત્ર પાઠવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial