Advertisement
Author: નોબત સમાચાર

પુરૃષોત્તમ મહિનાના પ્રારંભે ઉમટ્યા ભાવિકો ગોમતીજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી

દ્વારકાના જગતમંદિરમાં ભક્તોની ભીડ

શાસ્ત્રોક્ત વર્ણન અનુસાર ભગવાન શ્રી વિષ્ણુ જેના અધિપતિ છે, તેવા પાવન પુરૃષોત્તમ માસનો પ્રારંભ થયો હોય, આ માસ ધાર્મિક કાર્યો માટે ઉપરાંત દાન-પુણ્ય માટે પાવનકારી ગણાય છે. અધિક માસની વિષ્ણુજીની આરાધના-ઉપાસના અને ધાર્મિક કાર્યો માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. અધિક માસના પ્રથમ દિવસે દ્વારકાધીશના ભક્તોએ પુણ્ય-સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી ભારે ધન્યતા અનુભવી હતી. પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં વહેલી સવારે મંગલા આરતીમાં તેમજ શ્રૃંગાર આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh