Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનએસજી કમાન્ડો તથા પોલીસ કાફલાએ પૂરતી તકેદારી સાથે બિલ્ડીંગમાં કર્યું સર્ચઃ મોડીરાત્રે ઓપરેશન પૂર્ણ કરાયુંઃ
જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્ક સામેના ઈન્કમટેક્સ બિલ્ડીંગમાં ગઈકાલે સાંજે આતંકવાદ સાથે સંકળાયેલા શખસો ઘૂસ્યા હોવાની વિગત પોલીસને અપાતા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તેમજ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો તેની સાથે જ એનએસજીના કમાન્ડોની ટીમ પણ હથિયાર સાથે ઈન્કમટેક્સ બિલ્ડીંગ આવી પહોંચી હતી. રોડનંંુ એક તરફનું આવનજાવન બંધ કરાવી એનએસજી કમાન્ડો તથા પોલીસ ટીમે પોઝીશન સંભાળી હતી. તે દરમિયાન ૧૦૮ તેમજ ફાયરની ટીમને પણ બોલાવી આપવામાં આવી હતી. પૂરતી તકેદારી પછી મોડીરાત્રે કમાન્ડો અને પોલીસે ઈમારતમાં પ્રવેશ કર્યા પછી ચકાસણી હાથ ધરી હતી. તે દરમિયાન ઉપરોક્ત કાર્યવાહી મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. તે પછી રાત્રે બેએક વાગ્યે સંપૂર્ણ કામગીરી આટોપવામાં આવી હતી. ગઈકાલ સાંજથી રાજકોટવાળા રોડ પર પોલીસની ટીમ આવી જતાં લોકોમાં શું થયું છે તેવું કૂતુહલ પ્રસર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial