Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય બફારોઃ મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી

મેઘાવી માહોલઃ ભેજનું પ્રમાણ ૯પ ટકા

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં મેઘાવી માહોલના પગલે ૧૦ ટકાના વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચી જતાં અસહ્ય બફારો અનુભવાયો હતો. અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રર જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જે સાચી પણ ઠરી રહી છે. ધોરાજી, સૂત્રાપાડા સહિતના ઘણાં વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે.

વરસાદની આગાહી વચ્ચે જામનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગઈકાલે નભમાં વાદોળના જમાવડાના પગલે મેઘાવી માહોલ સર્જાયો હતો. જેના પગલે એક જ દિવસમાં ૧૦ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચી જતાં જનતાએ ગઈકાલે પણ અસહ્ય બફારો અનુભવ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે જનતા પરસેવે રેબઝ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. સાંજે તેજીલા વાયરાઓના પગલે લોકોએ રાહત અનુભવી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી અને નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh