Advertisement
Author: નોબત સમાચાર

ખેલ મહાકુંભની પુનઃ શરૃઆત કરવા ઉઠતી માંગણી

કોરોના કાળમાં બંધ કરવામાં આવેલ

જામનગર તા. ૧૯ઃ કોરોના કાળમાં બંધ  કરાયેલ ખેલ મહાકુંભ હવે પુનઃ શરૃ કરવાની જરૃર છે. તેવી માંગણી ખેલ પ્રેમીઓ દ્વારા ઉઠવા પામી છે. જનતા દળ (યુનાઈટેડ)ના જામનગર જિલ્લા પ્રમુખ મયુર ઘેલુભાઈ માડમએ એક રજુઆતમાં જણાવ્યું કે સરકાર દ્વારા ખેલ મહાકુંભ યોજવામાં આવતો હતો. પરંતુ કોરોના કાળમાં આ ખેલ મહાકુંંભ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

હવે કોરોનાની વિદાઈ થઈ ચુકી છે. હવે ખેલ મહાકુંભ પુનઃ શરૃ થાય તે જરૃરી છે. આ રમત મહોત્સવના કારણે બાળકો, યુવાનો, મહિલાઓને રમત ગમતનું કૌવત બનાવવા એક પ્લેટફોર્મ મળતું હતુું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ રમત-ગમતને પ્રોત્સાહન આપી રહ્યા છે. આથી સત્વરે ખેલ મહાકુંંભની પુનઃ શરૃઆત કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh