Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મોટી હવેલીમાં ત્રણ ભાગવત સપ્તાહ પારાયણનુંં આયોજન

પવિત્ર પુરૃષોત્તમ માસ દરમ્યાન

જામનગર તા. ૧૯ઃ અધિક શ્રાવણ પુરૃષોત્તમ માસ દરમિયાન શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તેમજ શ્રીમદ્ અનિરૃદ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલય મોટી હવેલી જામનગર દ્વારા ત્રણ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ શ્રીમદ્ ભાગવત સપ્તાહ અધિક શ્રાવણ સુદ એકમ થી છઠ્ઠ તારીખ ૧૮ જુલાઈ ૨૦૨૩ દરમિયાન યોજાશે. જેમાં કથા વ્યાસપીઠ ઉપર જામનગરના દ્રુમિલભાઈ પંડ્યા બિરાજશે. સપ્તાહના મનોરથી યુ.કે.ના ગો.વા. ઈશા જયઠકરાર ધામેચા પરિવાર છે.

દ્વિતીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ અધિક શ્રાવણ સુદ અષ્ટમીથી પૂર્ણિમા એટલે કે તારીખ ૨૬ જુલાઈથી ૧ ઓગષ્ટ ૨૦૨૩ દરમિયાન રહેશે. જેમાં વ્યાસપીઠ પર જામનગરના ઋષિભાઈ શાસ્ત્રી બિરાજશે. ભાગવત સપ્તાહના મનોરથી યુ.કે.ના રૃપારેલ પરિવાર છે.

તેવી જ રીતે તૃતીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ અધિક શ્રાવણ કૃષ્ણ બીજથી નોમ એટલે કે તા. ૩ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન રહેશે. જેમાં વ્યાસપીઠ પરથી શ્રીમદ્ ગોકુલના તુલસીદાસજી શાસ્ત્રી રસપાન કરાવશે. આ સપ્તાહના મનોરથી ગો.વા. વશરામભાઈ મૂળજીભાઈ માટલીયા ગં.સ્વ. જ્યાબેન વશરામભાઈ માટલીયા સમસ્ત માટલીયા પરિવાર (તલોદ-જામનગર) છે.

આ ત્રણેય સપ્તાહ વલ્લભ સત્સંગ હોલ, શ્રી મોટી હવેલી, શ્રીમદ્ વલ્લભાચાર્ય માર્ગ જામનગરમાં યોજાશે. સપ્તાહનો સમય સવારે ૯-૩૦ થી બપોરે ૧-૩૦ સુધી રહેશે. આ ભગવત પ્રીત્યર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા પૂ.પા.ગો. ૧૦૮ હરિરાયજી મહારાજશ્રી, પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયશ્રી પૂ.પા.ગો. રસાદ્રરાયજી મહોદયશ્રી, પૂ.પા.ગો. પ્રેમાદ્રરાયજી મહોદયશ્રીએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh