Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના મોટાભાઈએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા.૧૯: જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા સાંઢીયા પુલ પર ગઈકાલે રાત્રે એક સ્કૂટરચાલક પરપ્રાંતિય યુવાનને ટ્રેઈલરે ચગદી નાખ્યો હતો. મૃતકના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ તરફના રોડ પર આવેલા સાંઢીયા પુલ પરથી ગઈકાલે રાત્રે પોણા નવેક વાગ્યે મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના હીરાણા ગામના વતની અને હાલમાં જામનગરના ઢીંચડા રોડ પર રવિ પાર્ક સોસાયટીની શેરી નં.૭માં રહેતા અજીતસિંગ મોતીસિંગ શેખાવત જીજે-૧૦-ડીએમ ૯૬૨ નંબરના એેક્ટિવા સ્કૂટરમાં જતાં હતા.
સાંઢીયા પુલ ચઢી રહેલા આ સ્કૂટરને જીજે-૧૦-ટીએક્સ ૭૫૧૯ નંબરના ટ્રેઈલરે પાછળથી ઠોકર મારતા અજીતસિંગ સ્કૂટર સાથે ફંગોળાયા હતા. રોડ પર પછડાયેલા આ યુવાન પરથી ટ્રેઈલરનો જોટો ફરી વળ્યો હતો. ચગદાઈ ગયેલા આ યુવાનને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તે પહેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
ઉપરોક્ત અકસ્માત અંગે મૃતકના મોટાભાઈ ઉપેન્દ્રસિંગ શેખાવતે પોલીસમાં ટ્રેઈલરના ચાલક સામે ફરિયાદ કરી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial