Advertisement
Author: નોબત સમાચાર

જલારામ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ફૂલસ્કેપ બુકનું વિતરણ

સુરજકરાડી-આરંભડા પંથકની શાળાઓમાં

સુરજકરાડીમાં સુરજકરાડી તાલુકા શાળા કન્યા શાળા, આરંભડા સરસ્વતી શિશુ મંદિર માધ્યમિક શાળા તથા કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં સ્વ. શંકરલાલ ખીમજીભાઈ રાયમંગીયા તથા સ્વ. મનસુખભાઈ નરોત્તમદાસ બારાઈની સ્મૃતિમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ફુલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું, આ સેવાનું કાર્ય સતત ૧૦ વર્ષથી ચાલે છે. જેમા દાતા પરિવારના દર્શકભાઈ રાયમંગીયા તથા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનુપમભાઈ બારાઈ, સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ કાનાણી, હસમુખભાઈ કાનાણી તથા દરેક શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા દરેક શાળામાં વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા પરિવાર દ્વારા જરૃરિયાતમંદ  વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિક્ષણ માટે કોઈ પણ જરૃરિયાત હોય તો બનતી મદદ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh