Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશ્રય અપાવી માતા-પિતાને કરાઈ જાણઃ
જામનગર તા.૧૯ ઃ કાલાવડના એક ગામમાં રહેતી યુવતીએ પોતાને જેઠ, સસરા મારતા હોવાની અને જમવાનું આપતા ન હોવાની જાણ પોતાના માતા-પિતાને કર્યા પછી આ મહિલાની વ્હારે ૧૮૧ની ટીમ આવી પહોંચી હતી.
કાલાવડ તાલુકાના એક ગામમાં રહેતા પરિણીતાએ પોતાના માતા-પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, સસરા તથા જેઠે તેણીને મારકૂટ કરી છે અને ઘરમાં પૂરી રાખવામાં આવી છે. તેમજ બે દિવસથી જમવાનું પણ આપવામાં આવતું નથી. પુત્રીના આ સંદેશાથી વિહવળ બનેલા માતા-પિતા કે જેઓ બીજા જિલ્લામાં રહે છે તેઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યાે હતો.
ત્યાંથી પોલીસે જણાવ્યું હતું કે, આ પ્રકારના કિસ્સામાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન મદદ કરી શકે છે તેથી આ યુવતીના માતાએ ૧૮૧માં કોલ કરી પોતાની પુત્રીનું સરનામુ જણાવ્યું હતું.
સરનામા પરથી અભયમ્ ટીમના કાઉન્સેલર મનિષાબેન વઢવાણા, પોલીસકર્મી ઈલાબા ઝાલા ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ આ યુવતી સાથે વાત કરતા તેણીએ છેલ્લા ચૌદ મહિનાથી પિયર જવા દેવામાં આવી ન હોવાનું અને જેઠ, સસરા નશાની હાલતમાં મારતા હોવાનું તથા પિયર જવાનું કહે તો તેણીનું બાળક લઈ લેવાનું કહેવાતું હોવાનું જણાવ્યું હતું. આ યુવતીને ઓએસસી સેન્ટર અંગે માહિતી આપી તેણીના પિતાને તેમની પુત્રી એક દિવસ માટે આ સંસ્થામાં આશરો લઈ રહી છે, તેણીને લઈ જવાનો સંદેશો અભયમ્ ટીમે આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial