Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબી તથા કલ્યાણપુર પોલીસની ટીમને સફળતાઃ
જામનગર તા.૧૦ ઃ કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામમાં રવિવારે સાંજે બે ગઢવી બંધુ પર સાત શખ્સના ટોળાએ જીવલેણ હુમલો કર્યાે હતો. જેમાં એક પ્રૌઢની હત્યા થઈ ગઈ હતી અને બીજાને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે રાયોટીંગ, હત્યા પ્રયાસ, હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી શરૃ કરેલી તપાસમાં ગઈકાલે છ આરોપી ઝડપાઈ ગયા છે. આરોપીઓની પૂછપરછ શરૃ કરાઈ છે.
કલ્યાણપુરના મોટા આસોટા ગામના ડાવાભાઈ રણમલભાઈ સંધીયાના પુત્ર અભલાભાઈ તથા ભત્રીજા જેસાભાઈ વેજાણંદભાઈએ દોઢેક વર્ષ પહેલા પોતાની જ્ઞાતિની જ બે યુવતીઓ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે બાબત યુવતીઓના મોસાળ પક્ષને પસંદ પડી ન હતી. તે બાબતનો ખાર રાખી રવિવારે સાંજે જ્યારે ડાવાભાઈ તથા નગાભાઈ રણમલભાઈ સંધીયા ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા ભોલા વરજાંગ જોગાણી, કારૃ વરજાંગ, જીવા ભીખા, જગુ ભીખા, કુંભા વીરા, દેવીયા કુંભા, પોલા કુંભા જોગાણી નામના સાત શખ્સએ હથિયારો સાથે હુમલો કરી માર મારતા ડાવાભાઈની હત્યા થઈ હતી.
આ બાબતની ફરિયાદ કરાયા પછી ઈન્ચાર્જ એસપી હાર્દિક પ્રજાપતિની સૂચનાથી કલ્યાણપુરના પીએસઆઈ એમ.આર. સવસેટા અને એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, કે.એમ. જાડેજા, વી.આર. શુકલના નેજા હેઠળની પોલીસ ટૂકડીઓએ આરોપીઓના સગડ દબાવ્યા હતા.
આરોપી પૈકીના જીવા સંધીયા, પોલા કુંભા, દેવીયા કુંભાને પીએસઆઈ દેવમુરારીની ટૂકડીએ ખંભાળિયામાંથી અને કારૃ વરજાંગ, જગુ ભીખા, કુંભા વીરાને પીએસઆઈ સવસેટાની ટીમે પકડી પાડ્યા છે. તમામ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag