Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ જામનગરની દિવ્યાંગ મહિલાઓ માટે સ્વમાનભેર રોજગાર મેળવી શકાય તે હેતુથી બાંધણી બાંધવા માટેના નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત તાલીમમાં ભાગ લેવા માટે ઈચ્છુક ૧૮ વર્ષથી વધુ વયજૂથમાં સામેલ દિવ્યાંગ મહિલાઓએ પોતાનું નામ, વિકલાંગતાનો પ્રકાર, ઉંમર, ગામનું નામ અને મોબાઈલ નંબરની વિગતો સાથે તા. ૧૩ મે સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. આ વર્ગમાં વહેલા તે પહેલાના ધોરણે ર૦ લાભાર્થીઓનું ૧પ્ દિવસની તાલીમ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. ત્યારબાદ નોંધણી કરવામાં આવશે નહીં તાલીમ વર્ગ માટે રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક લાભાર્થીઓ કુ. રીયા ચિતારાનો સંપર્ક નં. ૯૪૮૪૭ ૭રર૭૭, કું. ચંદ્રિકા જોઈસર મો. ૯૬૬ર૭ ૭૧૧૪૮ તેમજ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, ખંભાળીયાના નાકા બહાર, જામનગરનો રૃબરૃ સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag