Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બદલી પામેલા અન્ય જજીસની પણ નિમણૂંકઃ
જામનગર તા.૧૦ ઃ જામનગરના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે અમદાવાદથી ન્યાયમૂર્તિશ્રીની નિયુક્તિ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય બદલી પામનાર જજીસની જગ્યાએ અન્ય જજોને જામનગર, લાલપુર, ધ્રોલ અને જોડિયામાં નિયુક્તિ મળી છે.
જામનગરના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજની ખાલી પડેલી જગ્યા પર અમદાવાદની સિટી સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ જજ એસ.કે. બક્ષીની નિયુક્તિ કરવામાં આવી છે.
રાજ્યભરના ન્યાય મૂર્તિઓની બદલીનો હુકમ થયો છે. જેમાં જામનગર ફેમિલી કોર્ટના જજ એમ.એમ. સોનીને અરવલ્લી મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને સુરતથી એમ.એમ. પટેલને મૂકવામાં આવ્યા છે. સિનિયર સિવિલ જજ એમ.ડી. નંદાણીને આણંદ મુકવામાં આવ્યા છે ત્યારે સુરતથી તેમના સ્થાને એમ.કે. ખેરની નિયુક્તિ થઈ છે.
ચીફ જ્યુડી. મેજી. એન.એન. પાથરની બદલી થતાં તેમના સ્થાને પાટણથી ડી.એલ. ઠાકોરને, જજ ડી.બી. જોષીની જગ્યાએ વડોદરાથી વી.જે. ગઢવી મુકાયા છે, ભરૃચથી એન.બી. મુન્સી જામનગર અને ધ્રોલમાં સિનિયર સિવિલ જજ તરીકે એમ.એ. કોટડીયા, લાલપુરમાં એમ.એચ. મકવાણા, જોડિયામાં પી.એસ. શાહ સહિતના ન્યાયમૂર્તિઓની નિમણૂંક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag