Advertisement
Author: નોબત સમાચાર

નશો કરવાની આદતવાળા યુવાન બેશુદ્ધ હાલતમાં મળ્યા પછી થયા મોતને શરણ

સેતાલુસમાં માલધારી યુવાનને વીજ આંચકોઃ

જામનગર તા.૧૦ ઃ લાલપુરા સેતાલુસમાં ઢોર ચરાવતી વખતે એક માલધારી યુવાનને વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે ભાટિયામાંથી બેશુદ્ધ હાલતમાં મળેલા એક યુવાનનું સારવાર માટે ખસેડાયા પછી મૃત્યુ થયાનું પોલીસમાં તેમના ભાઈએ જાહેર કર્યું છે. મૃતક નશો કરવાની આદતવાળા હોવાનું ખૂલ્યું છે.

લાલપુર તાલુકાના સેતાલુસ ગામના માલધારી જગાભાઈ ટીડાભાઈ ઠુંગા (ઉ.વ.ર૪) નામના યુવાન ગયા શુક્રવારે સાંજે ગામના સીમ વિસ્તારમાં પોતાના ઢોર ચરાવવા માટે ગયા હતા.

ત્યાં આવેલા ઈલેકટ્રીકના એક થાંભલાને જગાભાઈ ભરવાડ અડકી જતાં તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. બેશુદ્ધ બની ગયેલા જગાભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ થયાનું બિજલભાઈ ડાંગાભાઈ ઠુંગાએ પોલીસમાં જાહેર કર્યું છે. મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તણાસ શરૃ કરી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા દેશુરભાઈ કાયાભાઈ ધમા નામના સાડત્રીસ વર્ષના ગઢવી યુવાન ગયા રવિવારે સાંજે ભાટિયા બાયપાસ પાસે રહેતા તેમના ભાઈ દેવાણંદભાઈને ગામમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. તેઓને ઘરે લઈ જઈ દેવાણંદભાઈએ સુવડાવ્યા હતા. તે પછી સોમવારે દેશુરભાઈને સોજા ચડતા ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા દેશુરભાઈને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. દેવાણંદ ભાઈએ પોલીસને જાણ કરી છે. મૃતક દારૃ પીવાની ટેવવાળા અને છૂટક મજૂરી કરી બાકીના સમયમાં રખડતા હોવાનું તેમના ભાઈએ પોલીસને જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh