Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાંથી એસઆરપી મેન લાપત્તા બની જતાં પોલીસને કરાઈ જાણ

સોમવારે કેમ્પમાંથી ગુમ થયાની સાથી કર્મીની કેફિયતઃ

જામનગર તા.૧૦ ઃ જામનગરના સિક્કામાં આવેલા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા મૂળ તાપી જિલ્લાના એએસઆઈ સોમવારે રાત્રે ફરજના સ્થળ પરથી કેમ્પમાં આવ્યા પછી ગુમ થયા છે. સાથી કર્મચારીએ પોલીસને જાણ કરી છે.

જામનગર તાલુકાના સિક્કામાં આવેલા એસઆરપી બેરેકમાં રહેતા મૂળ તાપી જિલ્લાના સોનગઢના રહેવાસી વાસુદેવ સંતોષભાઈ ચૌધરી નામના ત્રેપન વર્ષના એએસઆઈ સોમવારે રાત્રે સાડા આઠેક વાગ્યે કેમ્પમાંથી ક્યાંક ચાલ્યા ગયા છે.

ત્યાં આવેલી લેબર કોલોની-૪ નજીકના દરવાજા પાસેના એસઆરપી કેમ્પમાં રહેતા અને એસઆરપી ગ્રુપ-૧૦માં ફરજ બજાવતા હેમતભાઈ અર્જુનભાઈ ચૌધરીએ આ બાબતની પોલીસને જાણ કરી છે. ગુમ થનાર એસઆરપી મેન પાતળો બાંધો, ઉજળો વાન અને પાંચ ફૂટ સાત ઈંચની ઉંચાઈ ધરાવે છે. છેલ્લે તેઓએ દુધીયા રંગનું ટી-શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલું હતું. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ફોન -૦૨૮૮-૨૩૪૪૨૪૯ અથવા મોબાઈલ ૯૩૧૬૧ ૬૩૦૦૯નો સંપર્ક સાધવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh