Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલના અધિકારીઓ સાથે કૃષિમંત્રીએ યોજી બેઠકઃ
જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેક્ટર બી.એ. શાહની ઉપસ્થિતિમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેઓએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોય તો તેનો ઉકેલ લાવવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કામગીરી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જે મુદઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં વાકિયા ગામે સ્મશાનમાં વીજ કનેક્શન આપવું, નાઘુના ગામે ટી.સી. સિફ્ટીંગ કરવું, આમરા ગામે થ્રી ફેઈઝ કનેક્શનની માંગ મુજબ નિયમોનુસાર થ્રી ફેઈઝની લાઈન નાખવી, ટીસી તથા થ્રી ફેઈઝના મીટર નાખવાની કામગીરી કરવી, જે ખેડૂતોએ ટીસી સિફ્ટીંગ અને લોડ વધારા અંગેની અરજી કરી હોય તેઓને ટીઆર ભરાવીને માંગણી મુજબ કાર્યવાહી કરવી, ગોરધનપર ગામે ગોવર્ધન સોસાયટીમાં રહેણાંક મકાનો વધુ આવેલા હોવાથી મોટું ટીસી નાખવું, વાગડિયા ગામે નવી વસાહત હોય ત્યાં જ્યોતિ લાઈટના કનેક્શન આપવા, રણજીતપર ગામે ૬૬ કેવી મંજુર કરવું સહિતની કામગીરી કરવા પર તેમજ અરજીઓનો ચોમાસા પહેલા નિકાલ કરીને કામગીરી પૂર્ણ થાય તે દિશામાં સુચારૃ આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીએ પીજીવીસીએલના અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, પીજીવીસીએલના એમડી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag