Advertisement
Author: નોબત સમાચાર

મકવાણા સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ મુદ્દામાલ કબજે

ગયા શુક્રવારે ચોરી થયાની હતી ફરિયાદઃ

જામનગર તા.૧૦ ઃ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મકવાણા સોસાયટીમાં એક મકાનમાં ચાર દિવસ પહેલા ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં રૃા.૪૨ હજાર રોકડા ગયા હતા. પોલીસે શરૃ કરેલી તપાસમાં એક શખ્સ પૂરેપૂરી રકમ સાથે ઝડપાઈ ગયો છે. તેણે ચોરીની કબૂલાત કરી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મકવાણા સોસાયટીમાં રહેતા ઈમરાન મુન્નાખાન પઠાણ નામના આસામીના મકાનમાં ગયા શુક્રવારની રાત્રે ચોરી થઈ હતી. તે મકાનમાં ઘૂસી ગયેલા તસ્કરે કબાટમાં બનાવવામાં આવેલા લોકરને ચાવી વડે ખોલી તેમાંથી રૃા.૪૨ હજાર રોકડાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ ગુન્હાની તપાસ સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાના વડપણ હેઠળ શરૃ કરાયા પછી ગઈકાલે સર્વેલન્સ સ્ટાફના ખોડુભા જાડેજા તથા ઋષિરાજસિંહને બાતમી મળી હતી કે, ચોરીમાં સંડોવાયેલો શખ્સ મહાપ્રભુજીની બેઠક પાસે આંટા મારે છે. તે બાતમીના આધારે પોલીસ સ્ટાફે બેઠક પાસેથી સમીર રફીકભાઈ ખાખી નામના શખ્સને પકડી પાડ્યો હતો.

આ શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી રૃા.૪૨ હજાર રોકડા મળી આવ્યા હતા. આ શખ્સે ચોરીની કબૂલાત આપી છે. પોલીસે તેની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh